જૂનાગઢમાં ઓરેન્જ બજાજ શોરૂમનો શુભારંભ

0

જૂનાગઢ, તા.૭
જૂનાગઢ- રાજકોટ હાઈવે ઉપર જીઆઈડીસી ગેટ- ર ની બાજુમાં રીલાયન્સ પેટ્રોલ પંપની સામે આજે તા.૭/ર/ર૦ર૦ને શુક્રવારના રોજ ઓરેન્જ બજાજના શોરૂમનો શુભારંભ કરવામાં આવ્યો છે જેનું ઉદ્‌ઘાટન સ્વામીનારાયણ ગુરૂકુલ જૂનાગઢના પ.પૂ.સદગુરૂ પૂરાણીશ્રી જ્ઞાનસ્વરૂપદાસજીના હસ્તે કરવામાં આવ્યું હતું. જયારે ચીફ ગેસ્ટ તરીકે મહાનગરપાલિકાના મેયર ધીરૂભાઈ ગોહેલ, બજાજ ઓટો લીમીટેડના મેનેજર સેલ્સ પ્રદિપ શિવશંકરમ તેમજ ડિવીઝનલ મેનેજર સર્વીસ અનીલ અગ્રવાલ તેમજ બજાજ ઓટો ફાઈનાન્સ લીમીટેડના ઝોનલ મેનેજર રજત ચાવલા ઉપસ્થિત રહયા હતાં. જયારે શુભેચ્છક તરીકે વિજયભાઈ ભાનુશંકરભાઈ ભટ્ટ (વિસાવદર), ગીરીશભાઈ વેણીશંકરભાઈ ,મૃણાલ એચ. ગાંધી, ડો.એચ.સી. ગાંધી, નિરવ દવે, ભૌતિક ભટ્ટ ઉપસ્થિત રહયા હતાં..આમંત્રીત મહેમાનોનું સ્વાગત કરાયું હતું. અને બજાજ મોટર સાયકલની વિશાળ શ્રેણી ગ્રાહકોનાં વેંચાણ માટે ખુલ્લી મુકાઈ હતી.

error: Content is protected !!