સુખનાથ ચોકની શાકમાર્કેટની ગંદકીને તાત્કાલીક દૂર કરાઈ

0

જૂનાગઢ રેન્જના ડીઆઈજી મનીંદર પ્રતાપસિંહ પવાર તથા જૂનાગઢ જીલ્લા પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે. જેના ભારૂપે હાલમાં કોરોના વાયરસનાં કહેર સામે લોકડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી ચાલુ હોય, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ક્રાઇમ બ્રાન્ચ પી.આઈ. આર.સી.કાનામીયા, પીએસઆઇ આર.કે. ગોહિલ, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, સાહિલભાઈ, ડાયાભાઇ, અશોકભાઈ, કમલેશભાઈ, દેવાભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમ્યાન સુખનાથ ચોક ખાતે આવેલ શાકભાજી માર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટે શાકભાજી તથા ફ્રૂટની લારીઓમાં યોગ્ય અંતર રખાવી, ગોઠવણ કરાવી દીધેલ સાથે શાકમાર્કેટ ભરાય છે ત્યાં ગંદકી વધારે હોય, મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટાફને તાત્કાલિક બોલાવી, કોર્પોરેશનના સ્ટાફ દ્વારા પણ કચરો તત્કાલિક ઉપાડી, સમગ્ર શાકમાર્કેટ સેનેટાઈઝ કરી દીધેલ હતા. જૂનાગઢ પોલીસ દ્વારા સુખનાથ ચોક ખાતે શાકમાર્કેટમાં સોશ્યલ ડિસ્ટન્સીંગની સાથે સાથે શાકમાર્કેટમાં ગંદકી દૂર કરાવી, સેનેટાઈઝ કરાવતા, માર્કેટના વેપારીઓ તથા વિતારના લોકો જૂનાગઢ પોલીસની અલગ પ્રકારની સેવાથી પ્રભાવિત થઈ ગયેલ હતા. તેઓએ તથા આગેવાનોએ જૂનાગઢ પોલીસને કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો
હતો.

error: Content is protected !!