જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં આજે ગણેશ ચર્તુથીની સાદાઈથી ઉજવણી

0

વિધ્નહર્તા દેવ ભગવાન ગણેશજીની ચર્તુથીની આજે ભાવભેર અને સાદાઈથી ઉજવણી કરવામાં આવી રહી છે. જય ગણેશ…જય ગણેશ… જય ગણેશ… દેવા.. માતા પાર્વતીને પિતા મહાદેવા….નાં ગુંજારવ વચ્ચે આજે જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રભરમાં ઘરે-ઘરે હિન્દુ સમાજમાં ભગવાન ગણેશજીનું પુજન-અર્ચન-આરતી જેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. ગઈકાલે અખાત્રીજનાં દિવસ અને પરશુરામ જયંતિની પણ સાદાઈથી ઉજવણી બાદ આજે ભગવાન ગણેશજીને પણ ઘર આંગણે લોકોએ ચુરમાનાં લાડુનો ભોગ ધરાવીને પૂજનવિધી સાથે સમગ્ર વિશ્વનાં કલ્યાણ અર્થે કામના કરી હતી.

error: Content is protected !!