સંશોધન સંસ્થાઓની ભવિષ્યવાણી : ૧૮ જૂન સુધી કોરોના મુક્ત થશે ભારત

0

મહામારી કોરોના વાઈરસ ઉપર બે મોટી ભવિષ્યવાણી કરવામાં આવી છે. આ ભવિષ્યવાણીઓ આધાર કોરોના સાથે જાડાયેલા ડેટા અને સઘન રિસર્ચ છે. આ ભવિષ્યવાણીનો સાર એ છે કે ભારતમાં આગામી મહિને એટલે કે મેમાં કોરોનાનો પ્રકોપ ખુબ ઓછો થઈ જશે. બધુ બરાબર થશે તો ૧૮ જૂન સુધી દેશને કોરોનાથી મુક્તિ મળી જશે. ભારતમાં કોરોનાની ભવિષ્યને લઈને બે મોટી ભવિષ્યવાણીઓ થઈ છે. જેમાં પહેલી સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઈને કરી છે. અને બીજી ખુદ ભારત સરકારની છે. સૌથી પહેલા એસયુટીડી એટલે કે સિંગાપુર યુનિવર્સિટી ઓફ ટેકનોલોજી એન્ડ ડિઝાઈનની ભવિષ્યવાણી છે. આ ભવિષ્યવાણી અનુસાર ભારતમાં ર૧ મે સુધી કોરોના ૯૭ ટકા સુધી ખતમ થઈ શકે છે. એટલું જ નહીં સ્ટડી અનુસાર ભારત કોરોના સંક્રમણથી પુરેપુરૂં ૧૮ જુન સુધી ખત્મ થવાનું અનુમાન છે. આ સ્ટડીમાં વાયરસ ફેલાવાની સ્પીડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જેના ઉપરથી ડેટા એકઠો કરવામાં આવ્યો છે.
સ્ટડી અનુસાર દુનિયામાંથી વાયરસને ૧૦૦ ટકા ખતમ થવામાં ૮ ડિસેમ્બર સુધીનો સમય લાગી શકે છે. સિંગાપુર યુનિવર્સિટીની આ ભવિષ્યવાણી કેટલી સાચી છે, એ તો સમય ઉપર જ ખબર પડશે. કોરોનાને લઈને ભારત સરકાર તરફથી ગણતરી રજુ કરવામાં આવી છે. આ આંકડા પ્રમાણે લોકડાઉનનાં પહેલા અઠવાડિયા (ર૪-૩૦ માર્ચ) દરમ્યાન કોરોના સંક્રમણના મામલા પ.ર દિવસમાં ડબલ થઈ રહ્યાં હતાં. બીજા અઠવાડિયા (૩૧ માર્ચ -૬ એપ્રિલ) દરમ્યાન કેસ વધવાની સ્પીડ થોડી વધી અને આ ૪.ર દિવસમાં ડબલ થવા લાગી છે. ત્રીજા અઠવાડિયા (૭-૧૩ એપ્રિલ)માં ૬ દિવસમાં તો ચોથા અઠવાડિયા (૧૪-ર૦ એપ્રિલ)માં કેસો ડબલ થવાની સ્પીડ ૮.૬ દિવસની થઈ ગઈ. આ પછી ર૧ એપ્રિલથી શરૂ થયેલા પાંચમાં અઠવાડિયામાં અત્યાર સુધી આંકડા બતાવે છે કે કોરોના સંક્રમણનાં કેસો ૧૦ દિવસમાં ડબલ થઈ રહ્યાં છે. ભારત સરકારનાં આ આંકડાકીય ગણિત પ્રમાણે કોરોના મહામારીને ચરમ ઉપર પહોંચતા ૩૦ એપ્રિલની તારીખ બતાવવામાં આવી છે. જા ફરીથી ઝડપ પકડાશે તો આ ૧૬ એપ્રિલ સુધી નીચા સ્તરે પહોંચી જશે. આ બંને સ્ટડી પ્રમાણે ભારત કોરોના વાયરસ ઉપર મે મહિના સુધીમાં જીત મેળવી લે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

error: Content is protected !!