જૂનાગઢ શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિરે દેવોને ચંદનનાં વાઘા ધરાવવાનો પ્રારંભ

0

જૂનાગઢ જવાહર રોડ સ્થિત શ્રી સ્વામિનારાયણ સુર્વણ મુખ્ય મંદિર હાલ કોરોના વાયરસને લોકડાઉનની પરિસ્થિતી દરમ્યાન સંપૂર્ણ બંધ છે. અને માત્ર દેવોની પૂજારી દ્વારા આરતી પૂજા કરવામાં આવે છે. ત્યારે હાલમાં તા.ર૬-૪-ર૦ થી તા.પ/૬ સુધી શ્રી રાધારમણ દેવ આદિ સર્વે દેવોને ચંદનનાં વાઘા ધરાવવામાં આવે છે. જે ભકતોએ દેવોને ચંદનનાં વાઘા ધરાવવાની ઈચ્છા હોય તેમણે રકમ મંદિરનાં બેંક એકાઉન્ટમાં ઓનલાઈન જમા કરાવી પાકી પહોંચ મેળવી લેવા મંદિરનાં મહંત મુખ્ય કોઠારી પ્રેમસ્વરૂપદાસજીએ અપીલ કરી છે. તેમજ વધુ માહિતી માટે ફોન નં. ૦ર૮પ-ર૬પ૦૬૮૦ અથવા ૯૮૭૯પપ૧૬૮૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

error: Content is protected !!