સેવાકીય સંસ્થા દ્વારા દિવ્યાંગોને કીટનું વિતરણ

0

દિવ્યાંગોની વહારે જૂનાગઢ સત્યમ સેવા મંડળ જૂનાગઢ સત્યમ સેવા મંડળ, ઉપલા દાતારનાં મહંત ભીમ બાપુનાં સહયોગથી તેમજ તાલુકા કાનૂની સત્તા મંડળ વંથલીનાં સંયુક્ત ઉપક્રમે વંથલી તાલુકાનાં કણજા, મોટાકાજલીયાળા તેમજ બાલોટ ગામે જઈ કુલ ૧૨૫ દિવ્યાંગોને જીવન જરૂરી વિવિધ વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવેલ હતું. આ વિતરણમાં વંથલી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળનાં સિવિલ જજ બી.એચ.ગાંધી તેમજ જૂનાગઢનાં જજ એ.પી.કડીવાર, દાતાર સેવક મુનાબાપુ સત્યમ મંડળનાં ઉપપ્રમુખ અરવિંદભાઈ મારડિયા, મદદનીશ સરકારી વકીલ કે.પી.પંડયા, ટ્રસ્ટી મનીષભાઈ લોઢીયા તેમના પત્ની જીજ્ઞાબેન લોઢીયા વિકલાંગ મંડળનાં પ્રમુખ વર્ષાબેન બોરીચાંગર, નાગભાઈ વાળા, કેતનભાઇ નાંઢા તેમજ ગામનાં સરપંચઓ હાજર રહ્યાં હતાં.

error: Content is protected !!