જૂનાગઢમાં સુરતથી આવેલી બસને સેનીટાઈઝ કરી ગડુ મોકલવાની વ્યવસ્થા કરાઈ

0

જૂનાગઢ એસટી બસ સ્ટેશનમાં આજે સુરતથી મજુરોને લઈને આવેલી બસને પાછી ગડુ ખાતે મોકલવાની હોય અને મજુરોને લઈ જવાનાં હોય જેથી તકેદારીનાં ભાગરૂપે એસટી કર્મચારી મંડળનાં ઉપપ્રમુખ વી.કે.ભાદરકાએ આ અંગેની જાણ ઉપલા અધિકારીને કરી હતી અને આ બસને સેનેટાઈઝર કરાવવા માટે જણાવતાં જૂનાગઢ વિભાગનાં અધિકારીશ્રી ચૌધરીએ મહાનગરપાલિકાનાં ફાયરવિભાગને જાણ કરતાં ફાયરવિભાગનો સ્ટાફ તાત્કાલિક બસ સ્ટેશન ખાતે આવી અને આ બસને સેનીટાઈઝ કરી હતી આ તકે વી.કે.ભાદરકાએ મનપાની ટીમ અને ફાયરવિભાગનો આભાર માન્યો હતો તેમજ ગડુ ખાતે મોકલવાનાં મજુરોની વ્યવસ્થા પણ આ બસમાં તેઓ દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!