જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાનું ચુસ્તપણે પાલન કરવા જાહેર જનતાને અપીલ

0

કોરોના વૈશ્વિક મહામારીનો વ્યાપ વધે નહી અને જૂનાગઢ જીલ્લાની જનતાને સંક્રમણ થતું અટકાવવા માટે તમામ પ્રકારના પ્રયાસો કરવામાં આવી રહેલ છે અને સરકાર દ્વારા આ સંબંધે પ્રસિધ્ધ કરવામાં આવેલ જાહેરનામાઓ/ ગાઈડલાઈનનો ચુસ્તપણે અમલવારી કરાવવાના પ્રયાસો કરવામાં આવે છે. આ મહામારીનો વ્યાપ ન વધે તેમની તકેદારી રૂપે જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટની કચેરીના નં.એમએજી/સી/૧૮પ/ર૦ર૦ તા.૧૮/પ/ર૦ર૦થી જાહેરનામું પ્રસિધ્ધ કરેલ છે જેથી તમામ જાહેર જનતાને જણાવવામાં આવે છે કે, જૂનાગઢ જીલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના જણાવ્યા મુજબ જૂનાગઢ જીલ્લાની હદમાં મોટર સાયકલ ઉપર એક વ્યકિત તથા ઓટો રીક્ષા/ટેક્ષી/ખાનગી કારમાં એક ડ્રાઈવર તથા બે પેસેન્જર સહીત કુલ ત્રણ વ્યકિતઓ મુસાફરી કરી શકશે. આ હુકમનું પાલન કરવામાં નહી આવે તો તેઓ વિરૂધ્ધ જાહેરનામા ભંગનો ગુનો દાખલ કરી વાહન ડીટેઈન કરવામાં આવશે. જેની જાહેર જનતાએ નોંધ લેવા તેમજ જાહેરનામાના તા.ર૦/પ/ર૦ર૦ના નિયમોનું પાલન કરવાની અપીલ જૂનાગઢ જીલ્લા પોલીસ તંત્ર દ્વારા કરવામાં આવી છે.

error: Content is protected !!