માણાવદરમાં તમાકુના કાળા બજાર કરતા વેપારીઓ સામે પાસાના પગલા લેવા માંગ

0

છેલ્લા કેટલાક દિવસોથી લોકડાઉનમાં પાન-માવા, તમાકુની દુકાનને છુટછાટ મળતા માણાવદરમાં જથ્થાબંધ વેપારીઓ પાન, બીડી, તમાકુનું ખાનગીમાં બેફામ કાળાબજાર કરી ઉંચા ભાવે વેંચી રહયા હોય બંધાણીઓમાં ભારે રોષ પ્રસરી રહયો છે. જથ્થાબંધ વેપારીઓ દુકાનો બંધ રાખી ખાનગીમાં ઘરેથી અને ગોડાઉનમાંથી ઉંચા ભાવે માલ પોતાના લાગતા વળગતાઓને વેંચવામાં આવતો હોવાની આમ જનતામાંથી ફરીયાદ ઉઠવા પામી છે. આ માલ વેચાણના બીલો પણ આપવામાં આવતા નથી અને સરકારી ટેક્ષની ચોરી પણ કરવામાં આવે છે. આ બાબતે ઉચ્ચકક્ષાએથી તપાસ કરી કાળા બજાર કરતા વેપારીઓ સામે પાસા સહિતના પગલા ભરવામાં આવે તેવી લોકમાંગણી ઉઠવા પામી છે.

#saurashtrabhoomi #media #news #gujarat #junagadandgandhinagar #marketing #radio #photography #socialmedia #entertainment #instagram #tv #business #podcast #branding #like#advertising #press #doubletap #saurashtranews #gujaratnews

error: Content is protected !!