ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરો-અધિકારીઓ, અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખી, કિસાન મિત્રો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો

ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરો-અધિકારીઓ,  અમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખી, કિસાન મિત્રો સાથે રાજ્યપાલશ્રીએ સંવાદ કર્યો

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કેપ્રાકૃતિક ખેતી એ માત્ર કૃષિ પદ્ધતિ નહીંપરંતુ આરોગ્યપ્રદ જીવનશૈલી અને ભાવિ પેઢી માટે સ્વસ્થસલામત અને સમૃદ્ધ ભવિષ્યની ગેરંટી છે.રાજભવનના મહર્ષિ દયાનંદ સભા મંડપમાં રાજ્યના કૃષિખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા આયોજિત પ્રાકૃતિક કૃષિ પરિસંવાદમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરો અધિકારીઓઅમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખીકિસાન મિત્રો સાથે પ્રાકૃતિક કૃષિ અંગે સંવાદ કર્યો હતો.

 રાસાયણિક ખેતી દ્વારા ઉભી થતી સમસ્યાઓ પર પ્રકાશ પાડતા રાજ્યપાલશ્રીએ કહ્યું કેમાટીપાણી અને હવા પ્રદૂષિત થઈ ગઈ છે અને ખાદ્યાન્નના પોષકતત્વો ઘટી રહ્યા છે.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીના પાંચ વૈજ્ઞાનિક પરિમાણો બીજામૃતજીવામૃતઘન જીવનામૃતમલ્ચિંગ અને મિશ્રપાક વિશે વિગતવાર જણાવ્યું હતું. તેમણે કહ્યુંકે જો ખેડૂતો આ પદ્ધતિ અપનાવેતો ધરતી માતાની ફળદ્રુપતા વધવા ઉપરાંત લોકોને પૌષ્ટિકસ્વસ્થ અને સલામત ખોરાક ઉપલબ્ધ બનશે.તેમણે સ્પષ્ટપણે કહ્યું કેઆ કાર્યને ફક્ત નોકરી કે ઔપચારિકતા ન માનવી જોઈએ. આપણે બધા પૃથ્વીપાણીહવા અને જીવસૃષ્ટિની રક્ષાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહ્યા છીએ. જો ખેડૂતોને યોગ્ય તાલીમ નહીં મળેતો તે માત્ર બેદરકારી જ નહીં પણ ગુનો અને પાપ પણ છે.

તેમણે ઉલ્લેખ કર્યો કેગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીઓ દ્વારા કરવામાં આવેલા સંશોધનોએ સાબિત કર્યું છે કે પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટતું નથીપરંતુ જમીનની ગુણવત્તાપાકનું પોષણ મૂલ્ય અને ખેડૂતોની આવકમાં વધારો કરે છે.રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક ખેતીને માત્ર આર્થિક દ્રષ્ટિકોણથી જ નહીં પરંતુ સામાજિક અને સાંસ્કૃતિક દ્રષ્ટિકોણથી પણ મહત્વપૂર્ણ ગણાવી હતી. તેમણે કહ્યું કેઆ ચળવળ પર્યાવરણજળ અને જૈવવિવિધતા સંરક્ષણ તેમજ ભારતીય પરંપરા અને સંસ્કૃતિ સાથે જોડાયેલી છે. પ્રાકૃતિક ખેતી એ રાષ્ટ્ર અને માનવતાની સેવા કરવાનો સર્વોત્તમ માર્ગ છે.રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કેપ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દુરદ્રષ્ટિથી પ્રેરિત થઈને સમગ્ર દેશ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધી રહ્યો છે. પ્રધાનમંત્રીશ્રીનું સ્વપ્ન આત્મનિર્ભર ભારતની સાથે સ્વસ્થસમૃદ્ધ અને પર્યાવરણ પ્રત્યે સંવેદનશીલ ભારત બનાવવાનું છે.

 તેમણે કહ્યું કેખોટી ટીકા અને ભ્રમ ફેલાવવાથી કોઈ ઉકેલ મળશે નહીં. પ્રાકૃતિક ખેતીનો વિરોધ કરનારાઓએ પણ આત્મનિરીક્ષણ કરવું જોઈએ. તેમણે ખેડૂતોસમાજ અને સરકારને આ ચળવળને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવા હાકલ કરી જેથી ભારત સ્વસ્થઆત્મનિર્ભર અને સમૃદ્ધ બની શકે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કેગુજરાતમાંથી ઉભરી રહેલી કુદરતી ખેતીની આ લહેર સમગ્ર દેશ અને વિશ્વ માટે માર્ગદર્શક સાબિત થશે. આ તકે રાજ્યપાલશ્રીએ ઉપસ્થિત તમામને પ્રાકૃતિક ખેતીને એક જન આંદોલન બનાવવાનો સંકલ્પ લેવડાવ્યો હતો.આ પ્રસંગે ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘઈફ્કો અને ગુજકોમાસોલના ચેરમેન શ્રી દિલીપભાઈ સંઘાણીએ કહ્યું કેઆજેજ્યારે રાસાયણિક ખેતીની પર્યાવરણલોકો અને પ્રાણીઓ પર થતી પ્રતિકૂળ અસરો વિશ્વભરમાં સ્પષ્ટપણે દેખાય છેત્યારે પ્રાકૃતિક ખેતી એ માનવતાસ્વાસ્થ્ય અને જમીનને સુરક્ષિત રાખવાનો એકમાત્ર સલામત માર્ગ છે.

 રાસાયણિક ખાતરો અને જંતુનાશકોનો વધુ પડતો ઉપયોગ ન માત્ર જમીનની ફળદ્રુપતાને જ ઘટાડે છેપરંતુ કેન્સર જેવા ગંભીર રોગો પણ ઝડપથી ફેલાવે છે. તેમણે એવા વિસ્તારોનું ઉદાહરણ આપ્યું જ્યાં શાકભાજીના ઉત્પાદનમાં વધુ પડતા રાસાયણિક ખાતરોનો ઉપયોગ થાય છેજ્યાં કેન્સરના કેસોની સંખ્યા વધુ જોવા મળી છે. તેમણે એમ પણ કહ્યું કેસરકારને યુરિયા જેવા ખાતરોની ખરીદી કરવા માટે કરોડો રૂપિયા ખર્ચ થાય છેજ્યારે તેની પ્રતિકૂળ અસરો ભાવિ પેઢીઓના સ્વાસ્થ્ય અને પર્યાવરણને અસર કરી રહી છે. પ્રાકૃતિક ખેતી માત્ર જમીનની ફળદ્રુપતાઆરોગ્ય અને પર્યાવરણનું રક્ષણ જ નહીંપરંતુ ખેડૂતોની આવક અને સમાજની સમૃદ્ધિ પણ સુનિશ્ચિત કરશેતેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.

આત્માના નિયામક શ્રી સંકેત જોશીએ સ્વાગત પ્રવચન કરીને કાર્યક્રમની રૂપરેખા આપી હતી. ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડના કાર્યકારી નિયામક શ્રી સી.એમ. પટેલે આભારવિધિ કરી હતી. આ કાર્યક્રમમાં રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓના વૈજ્ઞાનિકોગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ અને આત્માના વિસ્તરણ કાર્યકરોઅધિકારીઓઅમદાવાદ તથા ગાંધીનગર જિલ્લાના કૃષિ સખીકિસાન મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.