મેળા સુધી પહોંચવા આ વર્ષે ભાવિકોએ ઓછામાં ઓછું 5 કિલોમીટર ચાલવું પડશે 

મહાશિવરાત્રીના મેળામાં આ વર્ષે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્રે ભરડાવાવથી તમામ ખાનગી વાહનોને મનાઈ ફરમાવી છે. ફક્ત એસટી બસમાં ભવનાથ સુધી જઈ શકાશે. એ માટે ભાવિકોએ સ્વાભાવિક રીતે જ લાંબી લાઈનમાં ઉભવું પડશે. એસટી તમામ લોકોને તો લઈ જઈ શકવાની નથી. આથી મોટાભાગના લોકોએ આ વર્ષે ફરજિયાત 5 થી 6 કિલોમીટરની પદયાત્રાની તૈયારી રાખવી પડશે.