અદાણી પોર્ટથી ‘મેઈડ ઈન ઈન્ડિયા’ રેલ્વે એન્જિનોની નિકાસ ભારતમાં બનાવેલારેલવે એન્જિનો પશ્ચિમ આફ્રિકાના દેશોમાં રવાના

અદાણી પોર્ટથી ‘મેઈડ ઈન ઈન્ડિયા’ રેલ્વે એન્જિનોની નિકાસ  ભારતમાં બનાવેલારેલવે એન્જિનો પશ્ચિમ આફ્રિકાના દેશોમાં રવાના
Gujarati Jagran

મુદ્રા, તા.૧પ
અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ) દ્વારા સંચાલિત મુન્દ્રા પોર્ટથી આફ્રિકાના ગિનીદેશ સુધી અદ્યતન લોકોમોટિવ્સ નિકાસથયા. બિહારમાં ધમધમતા કારખાનાઓમાં બનાવેલઆ "મેડ ઇન ઇન્ડિયા" રેલવે એન્જિન દેશની વધતી જતી ઔધ્યોગિક તાકાત, ઉત્પાદન શક્તિ અને ભારતીય પ્રોડક્ટને વૈશ્વિક બજારો સાથે જાેડવામાં અદાણી પોર્ટ ની મુખ્ય ભૂમિકા દર્શાવે છે.
આ રેલવે એન્જિનો નું ઉત્પાદન બિહારના મારહોરા, સારણમાં સ્થિત લોકોમોટિવ ફેક્ટરીમાં કરવામાં આવી રહ્યું છે તથા ભારતીય રેલ્વે અનેભારત સરકારના સહયોગથી પશ્ચિમ આફ્રિકાના મોરેબાયા, ગુનિયામાં વધુ નિકાસ માટે કરવામાં આવી રહ્યું છે. દર મહિને આશરે ૧-૨ લોકોમોટિવ્સની નિકાસ કરવાની યોજના છે અને અંદાજે ૧૫૦ એન્જિનો નિકાસ કરાશે, આ લોકોમોટિવ્સ વિદેશી ખરીદનારની જરૂરિયાત મુજબ ૧.૪૩૫ મીટરના સ્ટાન્ડર્ડ ગેજ રેલવે લાઇન પર દોડવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. તે મુજબ, આ લોકોમોટિવ્સ તેના પ્લાન્ટથી મુન્દ્રા પોર્ટ સુધી ભારતના બ્રોડગેજ રેલ્વે ટ્રેક પર મુસાફરી કરશે. મુન્દ્રા ખાતે અદાણી પોર્ટ્સની ટીમે બોગી ટ્રાન્સફર, પરિવહન અને હેવી લોકો મોટિવ્સના શિપમેન્ટનું કુશળતાપૂર્વક હેન્ડલિંગ કર્યું હતું. મુન્દ્રા પોર્ટનાપ્રવક્તાએ જણાવ્યું હતું કે"અમે ફક્ત મશીનરી જ નહીં ભારતની ક્ષમતાઓને વિશ્વકક્ષાએ ઉજાગર કરી રહ્યા છીએ." ભારતીય એન્જિનિયરિંગ અને ટેકનોલોજીથી બનેલા આ લોકો મોટિવ્સ બિહારના વર્કશોપથી લઈને ગુજરાતના દરિયાકિનારા સુધીની દેશની સીમલેસ સપ્લાય ચેઇન ઉજાગર કરે છે. અદાણી પોર્ટની માળખાગત સુવિધાઓએ આ હેવી રેલવે એન્જિન ને હેન્ડલ કરવાની દરેક ચેલેન્જ સરળ બનાવી હતી. APSEZના અધિકારીએ જણાવ્યું હતંમ કે "ભારત સતત વિકાસના માર્ગે આગળ વધી રહ્યું છે, અમે વિશ્વ માટે નિર્માણ, સ્થળાંતર અને ડિલિવરી કરી રહ્યા છીએ." જેમ જેમ આ લોકોમોટિવ્સ ગિની તરફ પ્રયાણ કરી રહ્યું છે, તેમ તેમ ભારતીય એન્જિનિયરિંગ અને લોજિસ્ટિકલ કૌશલ્યની સમર્પિત નિષ્ઠા અને કીર્તિ વધી રહી છે. 
આ સીમાચિહ્નરૂપ સિદ્ધિઆર્થિક વિકાસથી લઈને વૈશ્વિક વ્યાપાર માં ભારતનો ડંકો વગાડે છે, રેલવે એન્જિન જેવા જટિલ કાર્ગોની નિકાસને પોસિબલ બનાવતું મુન્દ્રા પોર્ટ ભારતના વ્યાપારિક માળખાને વધુ મજબૂત બનાવે છે, રોજગારીનું સર્જન અને સ્થાનિક અર્થતંત્રને વેગ આપે છે. વળી આ સફળતા વિદેશી રોકાણને પણ આકર્ષે છે.