રાજકોટમાં આડા સંબંધની શંકામાં પત્ની પર ફાયરીંગ કર્યા બાદ પતિએ આત્મહત્યા કરી લીધી
(બ્યુરો) રાજકોટ તા.૧૫
રાજકોટ શહેરના નાગેશ્વર વિસ્તારમાં આવેલ એક બિલ્ડીંગ પટાંગણમાં કરુણ ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં પતિ પત્નિ વચ્ચે ઝઘડો થતા દોઢ મહિનાથી ચાલતા તકરારને લઇ આખરે ઉશ્કેરાયેલા પતિએ આજે સવારના સમયે પત્ની યોગમાંથી પરત આવતા એક બિલ્ડિંગના પટાંગણમાં પત્ની ઉપર ફાયરિંગ કરી દીધું હતું અને બાદમાં પોતે જાતે લમણે ગોળી મારી દઈ આત્મહત્યા કરી લીધી હતી.
હાલ પત્નીની હાલત ગંભીર છે તેને પહેલાં સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડાઈ હતી. ત્યાંથી વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાઈ છે.
કાકી ભત્રીજા વચ્ચે પાંગરેલા પ્રેમ સબંધનો કરુણ અંજામ આવ્યો છે. બનાવની જાણ થતા ગાંધીગ્રામ પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. હ્લજીન્ ટિમ આવી રિવોલ્વર કબ્જે કરી કાર્યવાહી શરૂ કરી છે.


