શનિવારે શ્રીકષ્ટભંજનદેવ દાદાનેદિવ્ય વાઘા તેમજ ગુલાબના ફૂલોનો દિવ્યશણગાર કરાયો

શનિવારે શ્રીકષ્ટભંજનદેવ દાદાનેદિવ્ય વાઘા તેમજ ગુલાબના ફૂલોનો દિવ્યશણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.૧ર
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી શ્રીહરિપ્રકાશ દાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તા.૧૨-૦૯-૨૦૨૬ને શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને એમ્બ્રોઇડરી વર્કવાળા વાઘા, સ્વર્ણ આભૂષણો શણગાર કરાયો અને ગર્ભગૃહને લાલ તથા ગુલાબી ગુલાબના ફૂલોથી ભવ્ય રીતે શણગારવામાં આવ્યું હતું. શણગાર કરવામાં આવ્યો હતો. સવારે ૫:૩૦ કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા ૭ કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. મંદિર પટાંગણમાં યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દર્શનનો અનેક ભક્તોએલાભ લઈ ધન્યતાનો અનુભવ કરેલ.