અરબી સમુદ્રનુ ડીપ્રેશન નબળુ પડતા સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો

અરબી સમુદ્રનુ ડીપ્રેશન નબળુ પડતા સૌરાષ્ટ્ર પરથી વાવાઝોડાનો ખતરો ટળ્યો

(બ્યુરો)               રાજકોટ, તા.૧
ગુજરાતમાં એકાદ સપ્તાહથી માવઠા-કમોસમી વરસાદ સર્જી રહેલી અરબી સમુદ્રની ડીપ્રેશન સીસ્ટમ નબળી પડી ગઈ છે. આવતા ચોવીસ કલાકમાં વધુ કમજોર થશે. જેનાથી સૌરાષ્ટ્ર પર મંડરાઈ રહેલા વાવાઝોડાની શકયતા પણ નહીવત દેખાઈ રહી છે. બીજી તરફ રાજયમાં માવઠાનો વ્યાપ પણ ઘટયો હોય તેમ છેલ્લા ચોવીસ કલાકમાં ૧૪૧ તાલુકામાં હળવો-ભારે વરસાદ પડયો હતો. હવામાન વિભાગના રિપોર્ટ પ્રમાણે પુર્વમધ્ય અરબી સમુદ્રનું ડીપ્રેશન નબળુ પડીને વેલમાર્ક લો-પ્રેસરમાં પરિવતિર્ત થઈ ગયુ છે તેને આનુસાંગીક સાયકલોનિક સરકયુલેશન ૫.૮ કી.મી.ની ઉંચાઈએ છે. જે પુર્વ-ઉતરપુર્વ તરફ દક્ષિણ ગુજરાત અને લાગુ 
ઉતર મહારાષ્ટ્ર તરફ આગળ ધપશે અને આવતા ૨૪ કલાકમાં વધુ નબળુ થઈને લો-પ્રેસરમાં ફેરવાઈ જવાની સંભાવના છે.