દવા ઉદ્યોગની માઠી : ઉત્પાદન ખર્ચમાં ૪૦ ટકાનો વધારો : નિકાસ અટકી
(એજન્સી) નવી દિલ્હી તા.ર૬
ખાડી યુધ્ધને એક મહિનો
પૂરો થવા આવ્યો છે.આ
યુધ્ધની ભારતના અર્થતંત્ર પર માઠી અસર પડી રહી છે.ઉદ્યોગો નિકાસ અટકી જવાથી પરેશાન છે તો ઉપરથી રો મટિરિયલની તંગી અને વધતા ખર્ચનો માર પડી રહ્યો છે.વડોદરામાંથી વિદેશમાં થતી નિકાસમાં વડોદરા અને આસપાસની નાની- મોટી ફાર્મા કંપનીઓનો મોટો હિસ્સો છે.યુધ્ધના કારણે આ ઉદ્યોગોમાં દવા બનાવવાના ખર્ચમાં ૩૦ થી ૪૦ ટકાનો વધારો થઈ ગયો છે.
ફાર્માસ્યુટિકલ એસોસિએશનના એક
હોદ્દેદારે નામ નહીં આપવાની શરતે કહ્યું હતું કે, દવા બનાવવા માટેનું મોટાભાગનું રો મટિરિયલ પેટ્રોલિયમ પ્રોડકટમાંથી બને
છે.આ રો મટિરિયલના ભાવ
તેમજ પેકેજિગમાં વપરાતા
પ્લાસ્ટિક અને એલ્યુમિનિયમ ફોઈલના ભાવમાં વધારો
થયો છે.દવાઓ બનાવવા માટે એલપીજી અને સીએનજીની પણ અછત છે.તેનો સપ્લાય પણ અગાઉ કરતા ૫૦ ટકા
જેટલો જ મળી રહ્યો છે અને તે પણ વધારે ભાવે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાના દવા ઉદ્યોગો પેરાસિટામોલ,
કફ સિરફ, એન્ટિ બાયોટિક,
હૃદય રોગ, ડાયાબિટિસ,
સ્કીન કેર, કેન્સરને લગતી
વિવિધ પ્રકારની દવાઓ બનાવે છે.જેમાંથી ઘણી દવા વિદેશોમાં નિકાસ થાય છે.


