પોતાની જાતને ભગવાન વિષ્ણુનો અવતાર તરીકે ઓળખાવનાર રમેશ ફેફરે આત્મહત્યા કરી.
પોતાની જાતને ભગવાનનો દસમો અવતાર બતાવીને લોકોનું પોતાની તરફ ધ્યાન ખેંચનાર રમેશ ફેફરે રાજકોટ ખાતે પોતાના જ ઘરમાં એકલતાથી કંટાળીને આત્મહત્યા કરી લીધી હોવાની વિગતો સામે આવી છે. રમેશ ફેફર રાજ્ય સરકારના અધિકારી રહી ચુક્યા છે પરંતુ સરકારે તેમને ગ્રેજ્યુટી અને પગારની રકમ ન ચુકવતા સચિવને પત્ર લખીને પોતે જ કલ્કી અવતાર હોવાનું જણાવ્યું હતું. રમેશ ફેફરે અનેકો વિવાદાસ્પદ વાતો કરેલી. જેમાં તેઓએ ચંદ્રયાન-3ને સરકારનું સ્ટંટ અને ભગવાન પરશુરામજીને દૈત્ય તરીકે સંબોધીને બ્રાહ્મણોના નાશની ભવિષ્યવાણી કરેલી.


