નાયરા રિફાઈનરીમાં ૩પ દિવસનું શટડાઉન  ૬૦૦૦ પેટ્રોલપંપોનું સંચાલન અટકયું

નાયરા રિફાઈનરીમાં ૩પ દિવસનું શટડાઉન  ૬૦૦૦ પેટ્રોલપંપોનું સંચાલન અટકયું

(એજન્સી)      નવી દિલ્હી તા.ર૬
દેશની બીજી સૌથી મોટી ખાનગી રિફાઇનરી નયારા એનર્જી એપ્રિલની શરૂઆતથી લગભગ ૩૫ દિવસ માટે તેનું સંચાલન બંધ રાખવાની યોજના ધરાવે છે. આ જાળવણી બંધ થવાથી ભારતની કુલ રિફાઇનિગ ક્ષમતાના આશરે ૮% ઘટશે, જેના કારણે આગામી દિવસોમાં સ્થાનિક પેટ્રોલ અને ડીઝલની ઉપલબ્ધતા પર દબાણ વધવાની ધારણા છે.
આ મેન્ટેનન્સ કામ એવા સમયે હાથ ધરવામાં આવી રહ્યું છે જ્યારે મધ્ય પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ અને યુએસ અને ઈરાન વચ્ચેના તણાવને કારણે તેલ અને 
ગેસની ઉપલબ્ધતા પહેલાથી 
જ ઘટી ગઈ છે. ઈરાનને લગતા સંકટથી ક્રૂડ ઓઇલ, કુદરતી 
ગેસ અને ન્ઁય્ની આયાત પહેલાથી જ પ્રભાવિત થઈ છે.
મધ્ય પૂર્વમાં ઈરાન અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા તણાવને કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ પ્રતિ બેરલ ૧૦૩ ને વટાવી ગયા છે, ત્યારે ભારતના સ્થાનિક ઇંધણ બજાર 
માટે વધુ ચિંતાજનક સમાચાર 
સામે આવ્યા છે. દેશની 
બીજી સૌથી મોટી ખાનગી રિફાઇનરી ન્યારા એનર્જી, ગુજરાતના વાડીનારમાં તેના પ્લાન્ટને ૩૫ દિવસ માટે સંપૂર્ણ રીતે બંધ કરવાની યોજના બનાવી રહી છે. આ બંધ નિયમિત રિફાઇનરી જાળવણી માટે કરવામાં આવી રહ્યો છે, પરંતુ તેના સમયે બજાર નિષ્ણાતો અને પેટ્રોલ પંપ ડીલરોની ચિતા વધારી છે.