વડાપ્રધાન મોદીએ કાફલાને અડધો ઘટાડી નાખ્યો

મુખ્યમંત્રીઓ, મંત્રીઓના કાફલામાં 50 ટકાનો કાપ : તમામ મિટીંગો ઓનલાઈન થશે

વડાપ્રધાન મોદીએ કાફલાને અડધો ઘટાડી નાખ્યો

(એજન્સી)   નવી દિલ્હી, તા.13
વડાપ્રધાન મોદીએ દેશવાસીઓને દેશની અર્થવ્યવસ્થાને મજબૂત બનાવવા અપીલ કરી છે. તેમણે તેમને એક વર્ષ માટે સોનું ખરીદવાથી દૂર રહેવા અને વિદેશ યાત્રા પર ખર્ચ ઘટાડવા વિનંતી કરી છે. તેમણે દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવા પણ વિનંતી કરી છે. વડાપ્રધાન મોદીએ વ્યક્તિગત રીતે આ પહેલ શરૂ કરી છે. તેમણે તેમના કાફલાનો અડધો ઘટાડો કર્યો છે.
પ્રધાનમંત્રી મોદી દ્વારા દેશના અર્થતંત્રને મજબૂત બનાવવા માટે નાગરિકોને કરકસર કરવાની અપીલ બાદ, સરકારે સોના પર આયાત ડ્યુટી વધારી દીધી છે. પીએમ મોદીએ લોકોને એક વર્ષ માટે સોનું ખરીદવાથી દૂર રહેવા અને વિદેશ યાત્રા પર ખર્ચ ઘટાડવા વિનંતી કરી છે. તેમણે દેશના વિદેશી હૂંડિયામણ ભંડાર પર દબાણ ઘટાડવા માટે પેટ્રોલ અને ડીઝલનો ઓછો ઉપયોગ કરવા પણ વિનંતી કરી છે. દરમ્યાનમાં વડાપ્રધાનની અપીલને પગલે દેશના વિવિધ રાજયોના મુખ્યમંત્રીઓએ અને મંત્રીઓએ તેમના કાર કાફલામાં ઘટાડો કરવાની જાહેરાત કરી દીધી છે. અને 50 ટકા કાપ મુકવાનો નિર્ણય જાહેર કર્યો છે. તેમજ મિટીંગો પણ ઓનલાઈન થશે તેવું જણાવ્યું છે.