ઉના તાલુકાના ગાંગડા ગામ ની સીમ માં વાડી ના મકાન ની ઓસરી માં ખાટલા ઉપર બેસેલ વૃધ્ધ ઉપર દીપડાનો હુમલો

પિતાને બચાવવા જતા પુત્ર ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાઓ પહોંચી : દીપડા સામે સ્વબચાવ માં દાતરડા અને લાકડી થી હુમલો કરતા દીપડા નું મોત થયું

ઉના તાલુકાના ગાંગડા ગામ ની સીમ માં વાડી ના મકાન ની ઓસરી માં ખાટલા ઉપર બેસેલ વૃધ્ધ ઉપર દીપડાનો હુમલો
ઉના તાલુકા માં ગ્રામ્ય રેવન્યુ વિસ્તાર અને વાડી વિસ્તાર માં દીપડા ના માનવી ઉપર હુમલા ના બનાવો ખુબ વધેલ છે. ઉના તાલુકાના ગાંગડા ગામ ની સીમ માં વાડી માં મકાન બનાવી બાબુભાઈ નારણ ભાઈ વાજા રે. રામેશ્વર તા. ઉના ઉમર વરસ 60 અને તેનો પરિવાર રહે છે . ગઈકાલે રાત્રે બાબુભાઈ મકાન ની ઓસરી માં ખાટલા ઉપર બેઠા હતા ત્યારે રાત્રી ના અંધારા માં એક દીપડો શિકાર ની લાલચ માં આવી ઓસરી માં બેઠેલ બાબુભાઈ ઉપર હુમલો કરી. ન્હોર ભરાવી પછાડી દીધેલ અને બાબુ ભાઈ રાડા રાડિ કરતા તેમનો પુત્ર શાદુલ ભાઈ બાબુભાઈ વાજાઉમર વરસ 27 રૂમ માંથી બહાર નીકળી પિતાને દીપડા ના સંકજામાંથી છોડવા પ્રયત્ન કરતા દીપડા એ બાબુ ભાઈ ને છોડી શાદુલ ભાઈ ની ઉપર હુમલો કરી મોઢા માં દબોચી નાસવા લાગતા બાબુભાઈ એ દીકરા ને છોડાવવા માટે ઓસરી માં પડેલ દાતરડી અને લાકડી લઈ દીપડા પાછળ જઈ ઝપાઝપી કરી દીકરા ને છોડવી સ્વબચાવ માટે દાતરડી અને લાકડી વતી દીપડા ઉપર ઘા મારતા દીપડો સ્થળ ઉપર મૃત્યુ પામ્યો હતો. પિતા અને પુત્ર ને ગંભીર રીતે ઇજાઓ થઈ હોય ઊના સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા જ્યાં બાબુભાઈ ને માથા માં અને શરીર ના ભાગો પર ઊંડા ઘા હોય 50 થી વધુ ટાકા આવેલ છે અને ડોક્ટરે તેની સ્થિતિ ગંભીર જણાવી છે. જ્યારે પુત્ર શાદુલ ભાઈ ને પણ હાથ માં ઈજાઓ થઈ હોય સારવાર આપી હતી. આ અંગે ગીર પૂર્વ વન વિભાગ ની રેન્જ કચેરી જશાધાર જાણ કરતા આર. એફ. ઓ. ભરવાડ અને સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃત દીપડા નો કબજો લઈ જશાધાર એનિમલ કેર સેન્ટર માં પોસ્ટ મોર્ટમ માટે લઈ જવાયો હતો અને સ્થળ ઉપર દીપડા ઉપર હુમલો કરવામાં વપરાયેલ દાતરડું અને લાકડી અને હથિયાર કબજે લઈ તપાસ શરૂ કરી છે અને બાબુભાઈ નારણ ભાઈ વાજા સામે દીપડા નું મોત નિપજાવ્યા ની ફરિયાદ નોંધી હોવાનું જાણવા મળેલ છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉના અને ગીર ગઢડા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં છેલ્લા ઘણા મહિનાઓ થી દીપડા ની વસતી વધી છે. અને માનવ અને પશુ ઉપર હુમલાઓ ખુબ વધ્યા છે. અને ઉના પંથકમાં પ્રથમ વાર દીપડા નું મોત સ્વબચાવ થયું હોવાનું જાણવા મળે છે . વન વિભાગ દીપડા ઓ ને રેવન્યુ વિસ્તાર માંથી પકડી ગીર વિસ્તાર માં લઈ જાય તેવું લોકમાગણી ઉઠી છે.