ભારતમાં કુદરતી આપત્તિઓથી છેલ્લા ૩૦ વર્ષમાં ૮૦,૦૦૦ના મોત
(એજન્સી) નવી દિલ્હી તા.૧૨:
ભારત છેલ્લા ત્રણ દાયકામાં આબોહવા આપત્તિઓથી સૌથી વધુ પ્રભાવિત ૧૦ દેશોમાંનો એક છે. પર્યાવરણીય થિક ટેન્ક જર્મનવોચના નવા અહેવાલ, ક્લાઇમેટ રિસ્ક ઇન્ડેક્સ (ઝ્રઇૈં) ૨૦૨૬ અનુસાર, ૧૯૯૫ અને ૨૦૨૪ વચ્ચે, ભારતમાં આત્યંતિક હવામાન ઘટનાઓ લગભગ ૪૩૦ વખત બની છે, જેમાં ૮૦,૦૦૦ થી વધુ લોકો માર્યા ગયા છે અને ૧.૩ અબજથી વધુ લોકોને અસર થઈ છે.
આ આફતોએ ભારતને આશરે ૧૭૦ બિલિયન (આશરે રૂ.૧૪ લાખ કરોડ)નું આર્થિક નુકસાન પહોંચાડ્યું છે. મંગળવારે બ્રાઝિલના બેલેમમાં આયોજિત ર્ઝ્રંઁ૩૦ પરિષદમાં બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં પૂર, ચક્રવાત, દુષ્કાળ અને ભારે ગરમીની વધતી સંખ્યા આબોહવા પરિવર્તનની ગંભીર અસર પર ભાર મૂકે છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતની પરિસ્થિતિ સતત જોખમી બની રહી છે, એટલે કે આ ઘટનાઓ હવે એકલી નથી પરંતુ વારંવાર આવી રહી છે. આ વિકાસ સિદ્ધિઓને અસર કરી રહી છે અને લાખો લોકોની આજીવિકાને જોખમમાં મૂકી રહી છે. ભારતની મોટી વસ્તી અને ચોમાસાની પેટર્ન પર ર્નિભરતા તેને ખાસ કરીને સંવેદનશીલ બનાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે લાખો લોકો દર વર્ષે કોઈને કોઈ સ્વરૂપની ભારે હવામાન ઘટનાઓથી પ્રભાવિત થાય છે.


