“સ્વદેશી અને આત્મનિર્ભરતાનો કોઈ વિકલ્પ નથી”
નાગપુર ખાતે દશેરા રેલીને સંઘ સુપ્રિમો મોહન ભાગવતનું સંબોધન
(એજન્સી) નાગપુર, તા.૨:
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (ઇજીજી) ના વડા મોહન ભાગવતે નાગપુરમાં ઇજીજીની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે વિજયાદશમી ઉજવણીમાં સંબોધન કર્યું હતુ. ભાગવતે દેશના લોકોને સ્વદેશીને પ્રોત્સાહન આપવા અપીલ કરી અને પડોશી દેશોમાં ચાલી રહેલી અશાંતિનો પણ ઉલ્લેખ કર્યો. તેમણે પહેલગામ હુમલા અને ઓપરેશન સિંદૂરનો પણ ઉલ્લેખ કર્યો.તેમણે કહ્યું, આજે, દુનિયા ભારત તરફ જોઈ રહી છે. આપણે દરેક પસાર થતા દિવસ સાથે મજબૂત બની રહ્યા છીએ. સ્વદેશી ઉત્પાદનોના ઉપયોગને વધુ પ્રોત્સાહન આપવાનો સમય આવી ગયો છે. મારું માનવું છે કે સ્વદેશી ઉત્પાદનોનો ઉપયોગ કરવો એ કોઈ ફરજ નથી, પણ એક અધિકાર છે.
પોતાના સંબોધનમાં મોહન ભાગવતે કહ્યું કે અમેરિકા દ્વારા લાદવામાં આવેલા નવા ટેરિફ દરેકને અસર કરી રહ્યા છે, અને તે તેમના પોતાના ફાયદા માટે કરવામાં આવ્યા છે. વિશ્વ જીવન પરસ્પર ર્નિભરતા પર ચાલે છે, રાષ્ટ્રોમાં તમામ પ્રકારના સંબંધો હોય છે. એક રાષ્ટ્ર એકલતામાં રહી શકતું નથી. આ ર્નિભરતા મજબૂરીમાં ફેરવાઈ શકે છે; કોઈને ખબર નથી કે તે કયારે અને કેવી રીતે બદલાશે. જો આપણે વૈશ્વિક જીવનની એકતાને મજબૂત
કર્યા વિના જીવવું હોય, તો સ્વદેશી અને આર્ત્મનિભરતાનો કોઈ વિકલ્પ નથી. આપણે આર્ત્મનિભર બનવું જોઈએ.


