ભવનાથ પહોંચતા પહેલાંજ ભાવિકો ભીંતચિત્રો જોઈ શિવમય બનશે

દામોદર કુંડ પાસે અને ભવનાથ મંદિર પરિસરની દિવાલોને શિવ-કૈલાસના ચિત્રોનો શણગાર

ભવનાથ પહોંચતા પહેલાંજ ભાવિકો ભીંતચિત્રો જોઈ શિવમય બનશે
મહાશિવરાત્રીના મેળા આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. ત્યારે મેળામાં આવતા ભાવિકો ભરડાવાવથી ચાલીને ભવનાથ પહોંચે ત્યાં સુધીમાં દામોદર કુંડ પાસેની દિવાલો પર ભીંતચિત્રો જોઈને શિવમય બની જાય એ માટેની તૈયારીઓ ચાલી રહી છે. અત્યારે ભવનાથ મંદિર પરિસરમાં પણ ચિત્રો તૈયાર કરવાનું કાર્ય ચાલી રહ્યું છે. 
અત્યારે ભવનાથ દાદાના દર્શને આવતા ભાવિકો પણ આ ચિત્રો જોઈ તેની પાસે ઉભીને સેલ્ફી અને ફોટા પડાવી રહ્યા છે. મેળા પહેલાં જ ભવનાથમાં ભાવિકોની ચહલ પહલ શરૂ થઈ ગઈ છે. અખાડાઓમાં પણ સંતોનું આગમન શરૂ થઈ ગયુ છે. મેળા પહેલાં જ આખો ભવનાથ વિસ્તાર રોશનીથી ઝળહળી ઊઠ્યો છે. 
ભવનાથ મંદિર અને તેની આસપાસ 50 મીટરના વિસ્તારમાં વાહનોનો જમાવડો ન થાય એ માટે બેરીકેટ ઉપરાંત જમીનમાં જાડા પાઈપ ફીટ કરીને એટલા વિસ્તારમાં વાહનોની એન્ટ્રી બંધ કરવામાં આવી છે.