જૂનાગઢમાં નોવા આઇવીએફ સેન્ટરનો શુભ પ્રારંભ

ડો. કે. પી. ગઢવી અને નોવા આઈવીએફના જોડાણથી હવે જૂનાગઢ માં જ મળશે વિશ્વસ્તરીય ફર્ટીલીટી સારવાર

જૂનાગઢમાં નોવા આઇવીએફ સેન્ટરનો શુભ પ્રારંભ
જૂનાગઢ તા.04
દરેક સંસારી મનુષ્યનું એક સપનું હોય છે કે તેનો પોતાનો વંશવેલો આગળ નિરંતર ચાલતો રહે.પરંતુ હાલની સાંપ્રત સમયની સમસ્યાઓ જેવી કે રહેણીકરણી, ખાનપાન, પ્રદૂષણ, કામની વ્યસ્તતા, ટેન્શન વગેરે જેવા કારણોથી કુદરતી રીતે સંતાન પ્રાપ્તિમાં ઘણા બધા વિઘ્નો જોવા મળી રહ્યા છે. પણ કુદરતે સાથો સાથ વિજ્ઞાનની શોધ દ્વારા આ બાબતનો રસ્તો પણ આપણને બતાવેલો છે. જેને સાદી ભાષામાં આપણે આઈવીએફ તરીકે ઓળખતા હોઈએ છીએ. આ ક્ષેત્રે દુનિયામાં ઘણું બધું સારું કામ કરતી નોવા ઈન્ફર્ટિલિટી સેન્ટર હવે આપણા મહાનગર જૂનાગઢના આંગણે પણ પોતાની સેવાઓ આપવા આવી ગઈ છે.
સ્ત્રી રોગ અને પ્રસૂતિ ક્ષેત્રે છેલ્લા ૨૪ વર્ષના સમર્પિત અનુભવ અને સેવાનો ભાથું ધરાવતા ન્યૂ લાઈફ કેર હોસ્પિટલના ડો. કે. પી. ગઢવી, હવે આપણા વિસ્તારમાં અત્યાધુનિક ફર્ટિલિટી ટ્રીટમેન્ટ અને વિશ્વસ્તરીય IVF સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે પ્રતિષ્ઠિત Nova IVF સાથે જોડાણની જાહેરાત કરતા ગર્વ અનુભવે છે. સાથોસાથ તેમને નોવા આઈવીએફ ઇન્ફેર્ટિલિટી સેન્ટરના નવયુવાન ડૉ આકાશ મોણપરાનો સાથ પણ મળશે.
હવે વ્યંઘત્વની સારવાર માટે રાજકોટ અમદાવાદ જવાની જરૂર નથી.. જૂનાગઢની જાણીતી ન્યૂ લાઈફકેર હોસ્પિટલના નિષ્રાંત ગાયનેકોલોજિસ્ટ ર્ડો. કે. પી. ગઢવીને ત્યાં જ નોવા આઈવી એફની આંતરરાષ્ટ્રીય કક્ષાની લેબોરેટરીની સેવા જૂનાગઢ તથા આજુબાજુના વિસ્તારો માટે આશીર્વાદ સમાન બનશે.ઉપરાંત ડૉ. ગઢવી સાહેબના બહોળા અનુભવની સાથે નવયુવાન ડૉ. આકાશ મોણપરાની સેવાનો સમન્વય સર્જાશે.
જૂનાગઢ અને આજુબાજુના વિસ્તારના જરૂરિયાતમંદ લોકો માટે ન્યૂ લાઈફકેર હોસ્પિટલ આ બાબતે તેમની મોટી સમસ્યામા રાહત આપવાનો પ્રયાસ કરશે.જેથી રાજકોટ અમદાવાદના ધક્કા અને સમય બચી શકે છે અને તે જ કક્ષાની સારવાર જૂનાગઢમા ડૉ. ગઢવી સાહેબ દ્વારા મળી શકશે.
ગત રવિવારના રોજ નોવા આઈવીએફ સેન્ટરનું ઉદઘાટન જૂનાગઢના માનનીય કલેક્ટર અનિલ રાણાવસીયા સાહેબના હસ્તે ઝાંઝરડા ચોકડી ખાતેના દાસારામ પ્રાઈમ કોમ્પ્લેક્સ ખાતે કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે જુનાગઢ ના ધારાસભ્ય સંજયભાઈ કોરડીયા સાહેબ વિસાવદર ધારાસભ્ય ગોપાલભાઈ ઇટાલીયા ખેતી બેંકના ચેરમેન ડોલરભાઈ કોટેચા, જવાહરભાઈ ચાવડા, સુનિલભાઈ નાવાણી, અભિજીતભાઈ ઉપાધ્યાય, ડોક્ટર મહેશ વારા, ડોક્ટર ડી. પી. ચીખલીયા, ડૉક્ટર વી. આર. ફળદુ, કિરાગ થાનકી, સિદ્ધાર્થ વેષ્ણવ ગિરનારી સેવા ગ્રુપના સંજયભાઈ બુહેચાવગેરે એવી જુનાગઢની ગણ માનનીય હસ્તીઓ પણ ઉપસ્થિત રહી હતી.
આ પ્રસંગે નોવા આઈવીએફ સૌરાષ્ટ્ર્ર વિભાગના વડા ડૉ સંજય દેસાઈ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા.