નિયામક ગ્રંથાલય ડો. પંકજ ગોસ્વામી સાહેબ ના માર્ગદર્શન હેઠળ સરકારી તાલુકા ગ્રંથાલય, માણાવદરનું લોકાર્પણ સમારોહ યોજાયું

નિયામક ગ્રંથાલય ડો. પંકજ ગોસ્વામી સાહેબ ના માર્ગદર્શન હેઠળ સરકારી તાલુકા ગ્રંથાલય, માણાવદરનું લોકાર્પણ સમારોહ યોજાયું
જૂનાગઢ તા.17
રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત ગ્રંથાલય ખાતું, ગુજરાત રાજ્ય, ગાંધીનગર હસ્તક નવી સ્થાપિત સરકારી તાલુકા ગ્રંથાલય, માણાવદર (જિ. જૂનાગઢ) ની સેવાઓ પ્રજાજનોને અર્પણ કરવા માટે લોકાર્પણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું.
આ લોકાર્પણ સમારોહ તા. 17 જૂન, 2026 (બુધવાર) ના રોજ બપોરે. 03:00 કલાકે સરકારી તાલુકા ગ્રંથાલય, મેંદરડા ખાતે યોજાયેલ.
સમારોહ પ્રાંત અધિકારી અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ, મેંદરડા એન એન વિસાણી સાહેબના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું.
ગ્રંથાલયના લોકાર્પણ પ્રસંગે વાંચન સંસ્કૃતિના વિકાસ, જ્ઞાનના પ્રસાર અને વિદ્યાર્થીઓ, યુવાનો તેમજ સર્વ સામાન્ય નાગરિકોને ગુણવત્તાસભર માહિતી અને પુસ્તકોની સુલભતા અંગે માર્ગદર્શન આપવામાં આવેલ.
આ પ્રસંગે ડો. આર. ડી. પરમાર, મદદનીશ ગ્રંથાલય નિયામક, ભાવનગર વિભાગ, ભાવનગર, પી. એમ. પંડયા, વી. જી. સંઘવી અને પી. જી. મહીડા દ્વારા પ્રજાજનોને ઉપસ્થિત રહી ગ્રંથાલયની સેવાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો.