ભારતની શિક્ષણ પ્રણાલી વિદ્યાર્થીઓ પર જુલમ કરે છે : રાહુલ ગાંધી
કોટા,તા.18:
NEET પેપર લીક અને CBSE OSM અનિયમિતતાઓ અંગે કેન્દ્રની દ્ગડ્ઢછ સરકાર પર નિશાન સાધતા, કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ બુધવારે કહ્યું કે ભારતની શિક્ષણ પ્રણાલી તેના વિદ્યાર્થીઓ પર દબાણ લાવે છે, જુલમ કરે છે અને કચડી નાખે છે, અને ઉમેર્યું કે આ દેશ માટે સારું નથી. રાજસ્થાનના કોચિગ હબ કોટામાં છાત્રો કી ગૂંજ (વિદ્યાર્થીનો અવાજ) કાર્યક્રમમાં વિદ્યાર્થીઓની મોટી ભીડને સંબોધતા, ગાંધીએ NEET પેપર લીક પછી વિદ્યાર્થીઓની આત્મહત્યા પર ચિંતા વ્યક્ત કરી અને લોકોને આવી ઘટનાઓ ફરીથી ન બને તે માટે સાથે મળીને કામ કરવાની અપીલ કરી. પેપર લીક પછી તાજેતરમાં એક છોકરીની આત્મહત્યાનો ઉલ્લેખ કરતા, રાહુલ ગાંધીએ કહ્યું, ભારતની શિક્ષણ પ્રણાલી તેના વિદ્યાર્થીઓ પર દબાણ, તણાવ, દમન અને જુલમ કરે છે, અને આ દેશ માટે સારું નથી.
હું ઇચ્છું છું કે આપણે બધા સાથે મળીને કામ કરીએ જેથી આ ભીડમાં કે દેશમાં કોઈ અન્ય વિદ્યાર્થી ક્યારેય આ છોકરી જેવું અનુભવે નહીં અને આત્મહત્યા કરવાની ઇચ્છા ન અનુભવે.


