ધર્મેન્દ્રને હોસ્પિટલમાંથી રજા અપાઈ : હવે ઘરે સારવાર કરાશે
(એજન્સી) મુંબઇ તા.૧૨:
દિગ્ગજ અભિનેતા ધર્મેન્દ્રને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે. ડોક્ટર્સએ પુષ્ટિ કરતા કહ્યું હતું કે તેમના પુત્રો સની દેઓલ અને બોબી દેઓલ સહિતના પરિવારે અભિનેતાને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યો છે.
મીડિયા અહેવાલ અનુસાર સવારે ડોક્ટર્સએ ધર્મેન્દ્રના સ્વાસ્થ્ય વિશે માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે અભિનેતાને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે અને પરિવારે તેમને ઘરે લઈ જવાનો ર્નિણય કર્યો છે. ૮૯ વર્ષીય અભિનેતા છેલ્લા કેટલાક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ હતા અને રજા મળ્યા બાદ ફરી દાખલ થવું પડતું હતું.
ધર્મેન્દ્રને સવારે ૭.૩૦ વાગ્યા આસપાસ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. પરિવાર દ્વારા તેમને ઘરે જ સારવાર આપવાનો ર્નિણય લેવાયો હોવાથી તેમની સારવાર હવે ઘરે જ કરવામાં આવશે. અભિનેતાને વેન્ટિલેટર સપોર્ટ સાથે ૈંઝ્રેંમાં સારવાર આપવામાં આવી રહી હતી. અહેવાલો સૂચવે છે કે ધર્મેન્દ્રએ સોમવારે શ્વાસ લેવામાં તકલીફ, હાઈ બ્લડ પ્રેશર અને બેચેનીની ફરિયાદ કરી હતી.


