નવરાત્રિમાં ફેલાઈ રહેલ અશ્લીલતા વચ્ચે માંજલપુર ધારાસભ્યનો લોકોને હુંકાર.
નવરાત્રિમાં અશ્લીલતા ફેલાવવાનો સિલસિલો અટકવાનું નામ નથી લઈ રર્હ્યો જેનાથી હિંદુ સંગઠનો અને સાધુ સંતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલે હુકાર ભર્યો છે. યોગેશ પટેલે જણાવ્યું છે કે પોલીસ અને ગરબા આયોજકો ગરબા આયોજનમાં અશ્લીલ હરકતો કરનાર યુવાનો પર કોઈ જ કાયવાહી કરી રહ્યા નથી. ગરબા આયોજકો ફક્ત પૈસા કમાવવા જ ગરબાનું આયોજન કરે છે આથી ગરબામાં અશ્લીલ હરકતો કરનાર યુવક યુવતીઓને જાહેરમાં મારવા જોઈએ.


