પાવાગઢથી બાવળા આવી રહેલી લકઝરી બસ ભડભડ સળગી : તમામ યાત્રાળુઓનો આબાદ બચાવ

ગુજરાતમાં રાજસ્થાનવાળી થતા રહી ગઈ

પાવાગઢથી બાવળા આવી રહેલી લકઝરી બસ ભડભડ સળગી : તમામ યાત્રાળુઓનો આબાદ બચાવ

(બ્યુરો)             નડિયાદ તા.૧૫
ગત મોડી રાત્રે બનેલી ઘટનામાં નડિયાદ-આણંદ 
રોડ પર આવેલા ભૂમેલ નજીક રેલવેબ્રિજ પર એક ખાનગી લકઝરી બસમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આ બસ પાવાગઢથી બાવળા તરફ જઈ રહી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, ભૂમેલ રેલવે ઓવર બ્રિજ પર મોડીરાત્રે અચાનક ખાનગી લકઝરી બસમાંથી ધુમાડા નીકળવા લાગ્યા અને જોતજોતાંમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જોકે બસના ડ્રાઇવરે સમયસૂચકતા વાપરીને તાત્કાલિક તમામ પેસેન્જરોને સુરક્ષિત રીતે 
બસમાંથી ઉતારી દીધા 
હતા, જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી અને મુસાફરોના જીવ બચી ગયા હતા.
આગની ઘટનામાં સમગ્ર લકઝરી બસ સળગીને ખાક થઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિકો અને ફાયરબ્રિગેડની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી, પરંતુ ત્યાં સુધીમાં બસ સંપૂર્ણપણે બળી ગઈ હતી. પોલીસે ઘટના અંગે વધુ તપાસ હાથ ધરી છે.