ભારત પાસે ૧૯૦ પરમાણુ બોમ્બ હોવાનો ધડાકો

ભારત પાસે ૧૯૦ પરમાણુ બોમ્બ હોવાનો ધડાકો

(એજન્સી)       વોશિંગ્ટન તા.૧૦
ચીન અને પાકિસ્તાન તરફથી વધતા ખતરાનો સામનો કરવા માટે ભારત સતત પોતાની લશ્કરી ક્ષમતાઓમાં વધારો કરી રહ્યું છે. પ્રખ્યાત અમેરિકન વૈજ્ઞાનિક સંગઠન, બુલેટિન ઓફ ધ એટોમિક સાયન્ટિસ્ટ્સ (BAS) એ તેના નવા અહેવાલ, ન્યુક્લિયર નોટબુક ૨૦૨૬ માં ભારતના પરમાણુ શષો વિશે અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે. અને નવો અહેવાલ બહાર પાડ્યો છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારતના પરમાણુ શસ્ત્રોના ભંડારમાં નોંધપાત્ર વધારો થયો છે. તેમાં દાવો કરવામાં આવ્યો છે કે ભારત પાસે ૧૯૦ પરમાણુ શસ્ત્રો છે. તેમાં જણાવાયું છે કે ભારત તેના પરમાણુ શસ્ત્રાગારને આધુનિક બનાવવાનું ચાલુ રાખે છે. તાજેતરના વર્ષોમાં ઘણા નવા શસ્ત્રો ઉમેરવામાં આવ્યા છે, અને જમીન, સમુદ્ર અને હવાથી પરમાણુ હુમલો કરવા સક્ષમ અન્ય ઘણા શસ્ત્રો વિકાસના વિવિધ તબક્કામાં છે.
અહેવાલમાં જણાવાયું છે કે, અમારો અંદાજ છે કે ભારતે ૧૪૦ થી ૨૨૫ પરમાણુ શસ્ત્રો માટે પૂરતું લશ્કરી પ્લુટોનિયમ ઉત્પન્ન કર્યું છે અને ૧૯૦ પરમાણુ શસ્ત્રો ઉત્પન્ન કરી શકે છે. વિકાસમાં વધુ શસ્ત્રો સાથે, ભારતના શષોનો ભંડાર વધુ વધવાની શક્યતા છે. તેમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, અમારો અંદાજ છે કે ભારત હાલમાં નવ અલગ અલગ પરમાણુ હુમલો-સક્ષમ સિસ્ટમો ચલાવે છે, જેમાં બે વિમાન, છ જમીન-આધારિત બેલિસ્ટિક મિસાઇલ અને એક સમુદ્ર-આધારિત બેલિસ્ટિક મિસાઇલનો સમાવેશ થાય છે.