અસીમ મુનીરે ભારતને ધમકી આપી : હવે હુમલો થશે તો પાકિસ્તાન કડક જવાબ આપશે

અસીમ મુનીરે ભારતને ધમકી આપી : હવે હુમલો થશે તો પાકિસ્તાન કડક જવાબ આપશે

(એજન્સી)   ઇસ્લામાબાદ તા.૦૯
પાકિસ્તાનના પ્રથમ ચીફ ઑફ ડિફેન્સ ફોસિર્સ (ઝ્રડ્ઢહ્લ) બનેલા ફિલ્ડ માર્શલ અસીમ મુનીરે સોમવારે ઝ્રડ્ઢહ્લનો પદભાર સંભાળ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં કોઈપણ હુમલાની સ્થિતિમાં પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી અને કઠોર હશે.
રાવલપિંડી સ્થિત ય્ૐઊમાં યોજાયેલા સમારોહમાં ગાર્ડ ઑફ ઑનર મળ્યા પછી તેમણે પોતાના સંબોધનમાં કહ્યું, ભારત કોઈ 
ભ્રમમાં ન રહે. કોઈપણ સંભવિત આક્રમક પગલાં પર પાકિસ્તાનનો પ્રતિભાવ પહેલાં કરતાં વધુ ઝડપી, કઠોર અને વ્યાપક હશે. 
મુનીરે કહ્યું હતું કે આધુનિક યુદ્ધ હવે સાયબરસ્પેસ, ઇલેક્ટ્રોમેગ્નેટિક સ્પેક્ટ્રમ, સ્પેસ, ઇન્ફોર્મેશન વૉર, છૈં અને ક્વોન્ટમ કોમ્પ્યુટિંગ જેવાં નવાં ક્ષેત્રો સુધી વિસ્તર્યું છે. દળોને આધુનિક પડકારોને અનુરૂપ પોતાને ઢાળવા જરૂરી છે. તેમણે કહ્યું હતુું કે પાકિસ્તાન શાંતિપૂર્ણ રાષ્ટ્ર છે. કોઈને પણ ઇસ્લામાબાદની પ્રાદેશિક અખંડિતતા કે સાર્વભૌમત્વને ચકાસવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુનીરે ઑપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની 
સેના અને નાગરિકોનાં ધૈર્ય, સહનશીલતાની પ્રશંસા પણ કરી.