ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક, ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો નાર્કો ટેસ્ટ કરવાની રાજકોટ કોર્ટની મંજૂરી

ગોંડલના રાજકુમાર જાટ મૃત્યુ કેસમાં નવો વળાંક, ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો નાર્કો ટેસ્ટ કરવાની રાજકોટ કોર્ટની મંજૂરી
મુંબઈ સમાચાર

ગત 9 માર્ચે, 2025ના રોજ ગોંડલના પૂર્વ MLA જયરાજસિંહ અને તેમના પુત્ર ગણેશ પર રાજકુમાર જાટ નામના યુવકને માર મારવાનો આક્ષેપ તેના પિતા રતનલાલ જાટે કર્યો હતો. માર માર્યા બાદ રાજકુમાર જાટનો રાજકોટ અમદાવાદ હાઇવે પર તરઘડિયા નજીક ઓવરબ્રિજ પર મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારે આજે રાજકોટની જ્યુડિશીનલ મેજિસ્ટ્રેટ ઓફ ધ ફર્સ્ટ ક્લાસ કોર્ટે ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલક રમેશ મેરનો નાર્કો ટેસ્ટ કરવાની મંજૂરી અહીં છે. તેથી આ કેસમાં હવે નવો વળાંક આવ્યો છે.
ઓક્ટોબરમાં હાઇકોર્ટે આ કેસની તપાસ સુરેન્દ્રનગરના SP પ્રેમસુખ ડેલુ અને Dysp જે.ડી.પુરોહિતને સોંપી હતી. તપાસનો પ્રથમ પ્રોગ્રેસ રિપોર્ટ 10 ડિસેમ્બરે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકશે.