તાલાળાનાં વાડલા ગીર ગામે લટાર મારતા વનરાજાે

તાલાળાનાં વાડલા ગીર ગામે લટાર મારતા વનરાજાે

ગીર સોમનાથ તા. ૩૦
ગીર સોમનાથ જીલ્લાનાં તાલાળા તાલુકાનાં વાડલા ગીર ગામે વનરાજાે જાેવા મળ્યા છે. વાડલા ગામેથી વાડી વિસ્તારમાં જતા રસ્તા ઉપર ૩ સિંહ જાેવા મળ્યા હતાં. ગઈકાલે રાત્રીનાં સમયે કાર સામે અચાનક ૩ સિંહ આવી ચડયા હતાં. આ સિંહોને જાેઈ કાર ચાલકે તાત્કાલીક કાર રસ્તા ઉપર જ રોકી દીધી હતી. દરમ્યાન થોડો સમય આ સિંહો રસ્તા પર રહયા હતાં અને બાદમાં જંગલ તરફ વળી ગયા હતાં.