ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી : મોહન ભાગવત

“જે કોઈને ભારત પર ગર્વ છે તે હિન્દુ છે : ભારત કુદરતી રીતે જ હિન્દુ રાષ્ટ્ર છે”

ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી : મોહન ભાગવત

ગુવાહાટી, તા.૧૯ :
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ)ના વડા મોહન ભાગવતે કહ્યું કે જે કોઈને ભારત પર ગર્વ છે તે હિન્દુ છે. તેમણે હિન્દુ ધર્મને માત્ર ધામિર્ક ઓળખ નહીં, પરંતુ સભ્યતાની ઓળખ ગણાવી. મોહન ભાગવતે કહ્યું કે ભારત અને હિન્દુઓ એક જ છે. તેમણે ભારતને કુદરતી રીતે હિન્દુ રાષ્ટ્ર ગણાવ્યું અને ચારિત્ર્ય નિર્માણ અને એકતાના આરએસએસના ધ્યેય પર ભાર મૂકયો.
ગુવાહાટીમાં એક કાર્યક્રમને સંબોધતા મોહન ભાગવતે કહ્યું કે ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવાની કોઈ જરૂર નથી; તેની સભ્યતા પહેલાથી જ તેને પ્રતિબિંબિત કરે છે. તેમણે કહ્યું કે હિન્દુ માત્ર એક ધામિર્ક શબ્દ નથી પરંતુ સભ્યતાની ઓળખ છે, જે હજારો વર્ષોની સાંસ્કૃતિક પરંપરામાં મૂળ ધરાવે છે.
તેમણે કહ્યું, ભારત અને હિન્દુ સમાનાર્થી છે. ભારતને હિન્દુ રાષ્ટ્ર બનવા માટે કોઈ સત્તાવાર ઘોષણાની જરૂર નથી. તેનો સભ્યતાનો સ્વભાવ 
પહેલાથી જ આને પ્રતિબિંબિત કરે છે. ભાગવતે કહ્યું કે RSS ની સ્થાપના કોઈનો વિરોધ કરવા કે નુકસાન પહોંચાડવા માટે નહીં, પરંતુ ચારિત્ર્ય નિર્માણ પર ધ્યાન કેન્દ્રિત કરવા અને ભારતને વૈશ્વિક નેતા બનાવવામાં યોગદાન આપવા માટે કરવામાં આવી હતી. તેમણે કહ્યું, ઇજીજી એ વિવિધતા વચ્ચે ભારતને એક કરવાની પદ્ધતિ છે.