મજેવડી ખાતે વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જનજાગૃતી રેલી યોજાઈ 

મજેવડી ખાતે વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે જનજાગૃતી રેલી યોજાઈ 

(પ્રતિનિધિ દ્વારા)
જૂનાગઢ તા.ર૧
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડી ખાતે  તારીખ ૨૦ ઓગષ્ટ ૨૦૨૬ના રોજ વિશ્વ મચ્છર દિવસ નિમિત્તે લોકોમાં મચ્છરથી ફેલાતા મેલેરીયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, હાથીપગા જેવા રોગોના અટકાયતી માટે મચ્છરની ઉત્પતિ અટકાવવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મજેવડીના મેડિકલ ઓફિસર ડો કૃપા જાનીના માર્ગદર્શન હેઠળ લોકોમાં જન જાગૃતિ આવે તે હેતુસર એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીને ગામના ઉપસરપંચ શ્રી સુરીલભાઈ પોકીયાએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મજેવડી ગામના આશાબહેનો, સુભાષ  ર્નસિંગ કોલેજ તથા રચના પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ, આરોગ્ય કર્મચારીઓ વગેરેએ ભાગ લીધેલ. રેલી બાદ હેલ્થ સુપરવાઈઝર અતુલ અઘેરા તથા તાલુકા હેલ્થ સુપરવાઇઝર પ્રજેશ સેખાત દ્વારા સેમિનાર યોજી મચ્છરના જીવનચક્ર, મચ્છર ઉત્તપ્તિ સ્થાનોની ઓળખ અને વાહકજન્ય રોગ અટકાયતીના પગલાં સહિત માહિતી પુરી પાડેલ. આ તકે આયુષ મેડિકલ ઓફિસર ડો. મનીષા સોજીત્રા દ્વારા લોકોને ઇન્ટરડોમેસ્ટિક મચ્છર ઉત્તપ્તિ સ્થાનો જેવા કે, ફૂલદાની, ફ્રીઝની ટ્રે, પક્ષીકુંજ, વપરાશી પાણીના ટાંકા માટલા વગેરે અઠવાડિયામાં બે વાર ઘસીને સાફ કરવા તથા નકામા ટાયર, ભંગારનો નિકાલ કરવા અપીલ કરવામાં આવેલ. વિશ્વ મચ્છર દિવસ ઉજવણીને સફળ બનાવવા સ્થાનિક મલ્ટી પરપઝ હેલ્થ વર્કરો તથા ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવેલ.