જૂનાગઢ શિવરાત્રીના મેળામાં 108 ટીમની ઉત્કૃષ્ટ કામગીરી

કુલ 290 દર્દીઓને ઇમરજન્સી સારવાર આપવામાં આવી

જૂનાગઢ શિવરાત્રીના મેળામાં 108 ટીમની ઉત્કૃષ્ટ કામગીરી
ભવનાથના મહાશિવરાત્રી મેળામાં 108 ટીમ ની ઉત્કૃષ્ટ કામગિરિ જોવા મળી. જૂનાગઢ જિલ્લાના પ્રસિદ્ધ શિવરાત્રિ મેળામાં બહોળા પ્રમાણમાં લોકો ભાગ લેતા હોય છે. આ મેળામાં શ્રદ્ધાળુઓને આરોગ્ય સેવા સરળતાથી મળી રહે તેવા હેતુથી ભવનાથ મુકામે 108 ઈમરજન્સી સેવાને 24 કલાક સ્ટાફ ખડે પગે રહેલ. જેમાં ફરજ બજાવેલ જેમાં આ 108 ઈમરજન્સી સેવા માં ટોટલ 331 ઇમરજન્સી આવેલ જેમાં ભવનાથ મેળા માં 290 દર્દીઓને 108 ઈમરજન્સી સેવા દ્વારા પ્રાથમિક સારવાર સહિત હોસ્પિટલ સુધી ખસેડવામાં આવેલ હતા. જેમાં પેરાલીસીસ, છાતી માં દુઃખાવો, શ્વાસની તકલીફ, તાવ વગેરે જેવી અનેક તકલીફોના દર્દીઓ જોવા મળ્યા હતા. જેમાં 108 માં સમય સર સારવાર મળી ગયેલ.
સારી કામગીરી બદલ જુનાગઢ જિલ્લા ના અઘિકારી યુવરાજ સિંહ ઝાલા અને પ્રોગ્રામ મેનેજર આકાશ સાહેબ દ્વારા ઈમરજન્સી સેવા ના કર્મચારી ઓની કામગીરી ને બિરદાવવા માં આવી.