અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં બપોરે 3 વાગ્યે પોપટ સોરઠિયા હત્યાકેસમાં સરેન્ડર કરશે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ થઈ શકે ધરપકડ

અનિરુદ્ધસિંહ જાડેજા જૂનાગઢ જેલમાં બપોરે 3 વાગ્યે પોપટ સોરઠિયા હત્યાકેસમાં સરેન્ડર કરશે અમિત ખૂંટ આત્મહત્યાકેસમાં પણ થઈ શકે ધરપકડ

અગાઉ અનિરુદ્ધસિંહ જાડેજાને તત્કાલીન ધારાસભ્ય પોપટ સોરઠિયા હત્યાકેસમાં ચાર અઠવાડિયામાં હાજર થવા હાઈકોર્ટે હુકમ કર્યો હતો. પોપટ સોરઠિયા હત્યાકેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાને આજીવન કેદમાંથી મુક્તિ આપવાના જેલ અધીક્ષક ટી.એસ. બિસ્તના હુકમને ફગાવી અનિરુદ્ધસિંહને સરેન્ડર કરવા આદેશ કરાયો હતો. આ ઉપરાંત દરરોજ હાજરી પુરાવવાનો અને પાસપોર્ટ જમા કરાવવાનો પણ આદેશ કરાયો છે.