ઓપરેશન સિંદુરનો બીજાે તબક્કો વધુ ઘાતક હશે : આર્મી ચીફ

ઓપરેશન સિંદુરનો બીજાે તબક્કો વધુ ઘાતક હશે : આર્મી ચીફ

(એજન્સી)    નવી દિલ્હી તા.૧૨:
રાષ્ટ્રીય રાજધાની નવી દિલ્હીમાં સોમવારે થયેલા કાર બોમ્બ વિસ્ફોટ બાદ સુરક્ષા એજન્સીઓ હાઇ એલર્ટ પર છે અને વિસ્ફોટને આતંકવાદીઓ સાથે જોડી રહી છે, ત્યારે કેન્દ્ર સરકારે આજે સુરક્ષા પર કેબિનેટ સમિતિ (ઝ્રઝ્રજી) ની બેઠક બોલાવી છે. વડાપ્રધાન હાલમાં ભૂતાનની મુલાકાતે છે. તેમના પરત ફર્યા બાદ આ બેઠક બોલાવવામાં આવી છે. વડાપ્રધાન આ બેઠકની અધ્યક્ષતા કરશે, જેમાં દિલ્હી બોમ્બ વિસ્ફોટની તપાસની સ્થિતિની પણ ચર્ચા કરવામાં આવશે અને ભવિષ્યની રણનીતિ નક્કી કરવામાં આવશે.
ઓપરેશન સિંદુર અને પ્રધાનમંત્રીના રાષ્ટ્રને સંબોધન પછી ઝ્રઝ્રજીની આ પહેલી બેઠક હશે. અગાઉ, ૨૨ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા પછી સુરક્ષા પર કેબિનેટ સમિતિની બેઠક મળી હતી, જેના થોડા દિવસો પછી ભારતે ઓપરેશન સિંદુર હેઠળ પાકિસ્તાન સામે રાજદ્વારી આક્રમણ શરૂ કર્યું હતું.
હવે, ફરી એકવાર, સરકાર ઓપરેશન સિંદુર ભાગ-૨ શરૂ કરી શકે છે કે કેમ તે અંગે ચર્ચા થઈ રહી છે. સરકારે પહેલાથી જ કહ્યું છે કે ઓપરેશન સિંદુર હજુ પૂરું થયું નથી અને પાકિસ્તાન તરફથી કોઈપણ આતંકવાદી કાવતરાનો બદલો લેવામાં આવશે. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું છે કે કોઈપણ આતંકવાદી કૃત્યને યુદ્ધ ગણવામાં આવશે. તેથી, એવી શક્યતા વધી રહી છે કે ભારત ફરીથી પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓનો નાશ કરી શકે છે અથવા તેમની સામે કડક કાર્યવાહી કરી શકે છે.
દરમ્યાનમાં આજે આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ એક નિવેદન આપતા એવું જણાવ્યું છે કે, હવે પછીનું ઓપરેશન સિંદુર વધુ ઘાતક હશે. આર્મી ચીફના આ નિવેદનથી પાકિસ્તાનમાં હડકંપ મચી ગયો છે અને એવા સંકેતો મળી રહ્યા છે કે, ભારત સરકાર પાકિસ્તાનને પાઠ ભણાવવા ઓપરેશન સિંદુર પાર્ટ-ર શરૂ કરી શકે છે.