મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના જાસપુરમાં જગત જનનની મા ઉમિયાના દર્શન અને પૂજા- અર્ચન કર્યા

ઐતિહાસિક વિશ્વ ઉમિયાધામના 1551 ધર્મસ્તંભ પર 9 લાખ ઘનફૂટનો
કોંક્રિટ રાફ્ટના કાર્યારંભ પ્રસંગે મુખ્યમંત્રીની ઉપસ્થિતિ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના જાસપુર ખાતે નિર્માણ પામી રહેલા વિશ્વ ઉમિયાધામમાં ૧૧૫૧ ધર્મસ્તંભ પર ૯ લાખ ઘનફૂટના કોંક્રિટ રાફ્ટના કાર્યારંભના સાક્ષી બન્યા હતા. તેમણે મા ઉમિયાના નવનિર્મિત મંદિર બાંધકામનું પણ આ વેળાએ નિરીક્ષણ કર્યુ હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઐતિહાસિક મા ઉમિયાનું મંદિર 1551 ધર્મસ્તંભ ઉપર આકાર લઈ રહ્યું છે. તેનું રાફ્ટ કાસ્ટિંગ સતત 3 દિવસ અર્થાત્ 72 કલાક સુધીમાં ભરવામાં આવશે.

આ અવસરે વિશ્વ ઉમિયાધામના ટ્રસ્ટીઓ, જાણીતા અભિનેતા વિવેક ઓબેરોય, દાતાઓ, સનિષ્ઠ કાર્યકર્તાઓ અને સામાજિક અગ્રણીઓ તેમની સાથે જોડાયા હતા.


