શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ૨૦૦ કિલો સેવંતીના ફુલોનો શણગાર કરાયો

શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને ૨૦૦ કિલો સેવંતીના ફુલોનો શણગાર કરાયો

(પ્રતિનિધિ દ્વારા)
સાળંગપુર તા.ર૦
સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તારીખ ૨૦-૦૯-૨૦૨૫ને શનિવારના રોજ સાળંગપુરમાં દાદાને દિવ્ય વાઘા એવં ૨૦૦ કિલો સેવંતીના ફુલોનોશણગાર ધરાવવામાં આવ્યો છે. આજે સવારે ૫:૩૦ કલાકે  મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા  એવં સવારે ૭:૦૦ કલાકે  શણગાર આરતી કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીદ્વારા કરવામાં આવી હતી. મંદિર પરિસરમાં આવેલ યજ્ઞશાળામાં મારૂતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આજના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને  ૬ દિવસની મહેનતે ૨ કારીગરો દ્વારાવૃંદાવનમાં બનાવવામાં આવેલા કમળની ડીઝાઇનના વાઘા પહેરાવવામાં આવ્યા છે. ચાંદીનો મુકુટ ધરાવાયો છે.  હનુમાનજીદાદાના સિંહાસને ૨૦૦ કિલો સેવંતીના ફુલોનો શણગાર  કરવામાં આવ્યો છે. આ શણગાર કરતાં ૩ સંતો, ભક્તો અને પાર્ષદોને ૩ કલાકનો સમય લાગ્યો હતો.